હોમ

ગુરુવાર, 10 એપ્રિલ, 2014

અર્થઘટનની સુઝ

અર્થઘટનની સુઝ ::::

આ પ્રસંગ મને મારા એક વડીલે જણાવ્યો હતો. એમના જ શબ્દમાં રજુ કરીશ..

મારો મિત્ર M.A.(ગુજરાતી) B.Ed. અને શહેરની પ્રતિષ્ઠિત સરકારી શાળામાં ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવે. શાળામાં ઇન્સ્પેક્શન આવેલું હતું, એ સાહેબને ઇમ્પ્રેસ કરવા મિત્ર જોરદાર રીતે ભણાવતો હતો.

ક્લાસમાં કવિતા ભાવ સાથે સવિસ્તર સમજાવતો હતો. મારા દીકરાને ન મારો. મારવો હોય તો સિંહ મારો. મારા છોકરાને નહી. માં વીલાપ કરતાં આ બાબત એના પતીને સમજાવે છે. વીનવે છે.

આટલું સાંભળીને એ શીક્ષણાધીકારી કમ કવિ બેભાન અવસ્થામાં મુકાઈ ગયા. અને એ કહે કે મારી કવિતાનો આવો અર્થ નીકળી શકે એ મને આજે ખબર પડી. કારણ એ કવિતા એમની જ લખેલી હતી અને ધોરણ ૬ના અભ્યાસક્રમના ભાગરૂપે હતી.

કાવ્યની પંક્તી એવો ભાવ દર્શાવતી હતી કે એક નાના બાળકની માં ગુસ્સાવાળા કૃર બાપને સમજાવે છે કે રોજ રોજ આપના ગુસ્સાનો ભોગ આ બાળક બને છે અને એને રોજ રોજ આપનો માર પડે છે. આમ ટુકડે ટુકડે ન મારો. મારવો હોય તો સાવ જ મારી નાખો. આ રોજની પીડા એક માંથી નથી જોવાતી.

આ સાવ જ (તદ્દન મારી નાખો) ને એમણે સાવજ સિહ બનાવી નાખેલો.

#આ_તો_એક_વાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો