હોમ

શુક્રવાર, 1 નવેમ્બર, 2013

અક્કલ વગરની અમલ બજવણી

અમલ બજવણીમાં અક્કલ જોઈએ?

મહારાજાને અંગ્રેજ ગવર્નરનું ફરમાન આવ્યું. રાજ્યમાં સામ્યવાદ અને રશીયાને લગતું તમામ સાહિત્ય જપ્ત કરો અને તેનો નાશ કરો. નહીતર આપના રાજ્યમાં બળવાની પરિસ્થિતિ સર્જાશે. 

મહારાજે પ્રધાનને આદેશ કર્યો. અમલની બજવણી તત્કાલ અને સખ્તીથી થવી જોઇએ. અને જપ્ત કરેલા પુસ્તકોની યાદી રજુ કરો. 

પ્રધાને સ્કુલ, લાયબ્રેરી અને અમુક શિક્ષકોના ઘરની તલાશી લઈ તમામ પુસ્તકો કબજે કર્યા અને લીસ્ટ રજુ કર્યું. 

- રશીયાની ક્રાંતી - લે. મેક્સીમ સ્ક્વોર્સ્કી
- રશીયાના ઉદ્યોગ - લે. વ્લાદીમીર ઇલ્યોનેવીચ
- રશીયાની રાજ્ય વ્યવસ્થા - લે. પીટર ઉત્સીનોફ
- રશીયાની નારી - લે. વેલેન્તીના ગોર્કી
- રશીયાની યુવા શક્તી - લે. નાતાલીયા ટેરેસ્કોવા
- રસીયાના ભક્તિ રાસ - લે. દયારામ મહારાજ.

#ક્યાંક_વાંચેલું #આ_તો_એક_વાત