હોમ

મંગળવાર, 14 જાન્યુઆરી, 2014

બીજાના સમયને પણ મહત્વ આપો. તમારા સમયને લોકો મહત્વ આપશે જ.

સંબંધ પાલન કે સમય પાલન કે પછી કશું જ નહી?

વરસો પહેલાં જ્યારે હું મુંબઈ અભ્યાસ કરતો હતો તે વખતે મારા કેટલાક સગા ત્યાં ફરવા માટે આવેલ હતા. તેમનો રાત્રી મુકામ સબર્બમાં અન્ય સંબંધીને ત્યાં હતો.

શનીવારે સાંજે મારી સાથે ફોન ઉપર કાર્યક્ર્મ ’ફાઇનલ’ કર્યો. રવીવાર આખો ચર્ચગેટ, મ્યુઝીયમ અને મરીન ડ્રાઇવ ફરશું. એ પણ નક્કી કર્યું કે રવીવારે સવારે ૯.૦૦ કલાકે ચર્ચગેટ સ્ટેશન ઉપર વ્હીલરના બુક સ્ટોલ પાસે મળવું.

માંડ મળતો રવીવાર - ૭ વાગે ઉઠીને સવારે ૯.૦૦ કલાકે વ્હીલર પાસે ઉભો રહ્યો અને લગભગ ૧૦.૩૦ કલાક સુધી સંઘના દર્શન જ નહી, અને પાછું વ્હીલર છોડીને જવાય પણ કેમ? એ લોકો મુંબઈના અજાણ્યા હતા.

અને છત્તાં હિંમત કરી PCOથી સબર્બમાં જ્યાં રહેલા હતા ત્યાં ફોન કર્યો તો કહે, રવીવારે થોડું આળસ આવી ગયું અને નીરાંતે ૯.૦૦ વાગે તો ઉઠયાં. અને પછી થયું કે ચાલોને બોરીવલી નેશનલ પાર્ક જઈ આવીએ. અને ખાસ શબ્દો હતા કે આપણે ક્યાં ’સાવ ફાઇનલ’ કર્યું હતું?

બધા વડીલો, કોને કહેવું? શું એક ફોન ન કરી શકે? કે પછી એક વિધ્યાર્થી તરીકે તેમના મતે મારા સમયની શું કોઇ મોટી કિંમત હોય? કે પછી બે-જવાબદારી? હજી મને જવાબ નથી મળ્યો.

આપણે હજી પણ આવા જ છીએ. LOL

#આ_તો_એક_વાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો